GIR SOMNATHKODINAR
અંબુજા વિદ્યાનિકેતન કોડીનાર ખાતે બાળ કાયદાઓને તેની જરૂરિયાત વિષય પર સેમિનાર યોજાયો.
અંબુજા વિદ્યાનિકેતન કોડીનાર ખાતે બાળ કાયદાઓને તેની જરૂરિયાત વિષય પર સેમિનાર યોજાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન,નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે અંબુજા વિદ્યાનિકેતન નાના ભૂલકાઓ ને નાનકડી બાળ વાર્તા દ્વારા અદાલતનો પ્રાથમિક અને તેની સ્વ રચના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તેમજ કાયદો અને તેની રચના તેમજ બાળકો ના જુદા જુદા અધિકારો વિશે સમજવામાં આવ્યું.તેમજ બાળકો ને અભ્યાસક્રમ ને અનુલક્ષીને લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું તેમાં પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન યુવરાજ વાઢેર તેમજ વિધાલયનો સ્ટાફ હાજર રહ્યા હતા.