ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અનુ. જાતિ મોરચા દ્વારા છાત્રવાસ સંપર્ક કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અનુ. જાતિ મોરચા દ્વારા છાત્રવાસ સંપર્ક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુજાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા જી ની સૂચના મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઇ મણવર ના તથા જૂનાગઢ મહાનગરના પ્રભારી હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે જૂનાગઢ કુમાર છાત્રાલય ખાતે છાત્રાવસ સંપર્ક કાર્યક્રમ અંતરગત જૂનાગઢ શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણ ભાઈ વાઘેલા સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત અનુસૂચિત જાતિ મોરચા જૂનાગઢ શહેરના હોદેદારો મહામંત્રી જીતેશભાઇ પરમાર ઉપાધ્યક્ષ સુરેશભાઈ વઘેરા, માધવભાઈ વારસુર, વિજય દાફડા, પ્રદેશ અ.જા મોરચા સોશિયલ મિડિયા ઈન્ચાર્જ દિનેશભાઈ વાળા જુનાગઢ શહેર અજા મોરચા સોશિયલ મીડિયાના કાર્યકર્તા સાથે હાજરી આપી હતી.