ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા ખાતે રચાયો પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ખાતે શિવરાત્રી નિમિત્તે ચંડી યાગ, હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ,પૂજા અભિષેક,પાર્થિવ શિવલિંગ પૂજા, કુંડલિની જાગરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો હજારો ભક્તજનોએ લાભ લીધો હતો. પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાનાં વાસુર્ણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે, બે દિવસીય શિવરાત્રી મહોત્સવમાં ભાવિક ભક્તોએ વિવિધ કાર્યક્રમોના સથવારે આત્મખોજ કરી હતી.તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે શિવરાત્રી નિમિત્તે આયોજિત નવચંડી યજ્ઞ, લઘુ રુદ્ર, પૂજા અભિષેક, કુંડલિની જાગરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો હજારો ભક્તગણે લાભ લીધો હતો.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્ય અને પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના દુરસુદૂરના વિસ્તારોમાથી પણ વાસુર્ણા ખાતે પધારેલા ભક્તજનોએ પૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં આંતરખોજની દિશામાં પ્રયાણ કર્યું હતુ.ભાવિક ભક્તિ સહિત દાતાઓ, મહાનુભાવો, અધિકારી, પદાધિકારીઓ, ગ્રામજનો સૌએ અહીં વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે શિવરાત્રી મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.તેજસ્વિની સંસ્કૃતિ ધામના સ્થાપક એવા બ્રહ્મવાદિની હેતલ દીદીએ ‘કેવલ સ્વયં કો ખોજના હે, બાકી સબ તો ગૂગલ પર હે હી’ એવુ સદ્રષ્ટાંત સમજાવી, સૌને આંતરખોજ તરફ દોર્યા હતા. પૂજ્ય દીદીએ કહ્યું હતું કે “ભગવાન ખોજને સે નહીં.. લેકિન ખુદ મેં ખો જાને સે પ્રાપ્ત હોતે હૈ..” રાત્રિના ચારો પ્રહર સેંકડો યુવા ભક્તજન શિવમય થઈને શિવત્વની પ્રાપ્તિ કરી હતી.જ્યારે આચાર્ય કેતન દાદાના હસ્તે વૈદિક પૂજાપાઠ સહિતના કાર્યક્રમોમાં ડાંગમાં શૈક્ષણિક એવમ આધ્યાત્મિક ક્રાંતિ જગાડનાર સંત પી.પી.સ્વામીજી,સંત બાબુરામ,કથાકાર જતીન ભાઈ,ધર્મેશભાઈ સહિત અનેક ભૂદેવો પણ સહભાગી થયા હતા.આ દરમિયાન તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે સપરિવાર પધારેલા ડાંગના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) જીગ્નેશ ભાઈ ત્રિવેદીજી એ પણ હાજરી આપી સાધના કરી હતી.આ કાર્યક્રમને સફળ, સંપન્ન બનાવવા માટે ધનસુખભાઈ, દિનેશભાઈ,ચેતનભાઇ, નેમુભાઇ, બેલાબેન સહિત તમામ તેજસ્વીની સંસ્કૃતિ પરિવારે જહેમત ઉઠાવી હતી