અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં 40 કરોડ ઉપર નો ભ્રષ્ટાચાર નો ખેલ ખેલાયો હોવાના આક્ષેપ સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
મોડાસા આર એન બી ( સ્ટેટ) ના બે અધિકારીઓ ની કરોડો રૂપિયા ની સંપત્તિ ને લઇ વિગત સાથેની પોસ્ટ વાયરલ
હાલ અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ની માજા મૂકી હોય એ રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અલગ લગલ રીતે કોમામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે જેને લઇ એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયાના એક ગ્રુપમાં આર એમ બી (સ્ટેટ )વિભાગના અધિકારીઓ સામે તેમની કરોડો રૂપિયાની સંપત્તિ ને એક પોસ્ટ વાયરલ કરતા હાલ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે જેને લઇ જો તપાસ થાય તો ક્યાંક મોટુ કૌભાંડ પણ બહાર નીકરવાની શક્યતા રહેલી છે. પરંતુ હાલ પોસ્ટ વાયરલ થતા એવું લાગી રહયું છે કે આમ જનતા હવે બધું જાણે છે પરંતુ સરકાર ના કાન ઉગાડતા નથી કે દેખાતું નથી માટે હવે આમ જનતા ને મેદાને આવું પડે છે કાશ જે પણ હોય પરંતુ હાલ તો જિલ્લામાં આર એમ બી ( સ્ટેટ) મોડાસા ના વિભાગના અધિકારીઓ સામે આક્ષેપો સાથેની પોસ્ટ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે
જેમાં નીચે મુજબની વાયરલ પોસ્ટમાં વિગતો દર્શાવી છે તમે પણ વાંચો શું છે વિગતો….
આર એન બી ( સ્ટેટ) મોડાસા ના એક અધિકારીનો મોડાસા ગેબી મંદિર નજીક 3 કરોડ નો બંગલો ફર્નિચર કોણે કર્યું ? ખર્ચો આર એન બી ( સ્ટેટ ) માં પાડવામાં આવ્યો કે શું ? અને બાયપાસ જોડે જ 20 કરોડ ની જમીન લીધી જે ક્યાંથી લેવાઈ…???
આર એન બી (સ્ટેટ) મોડાસા ના બીજા એક અધિકારી નો અમદાવાદ માં ઇસ્કોન બ્રિજ ની બાજુમાં પ્રહલાદનગર માં 10 કરોડ નો બંગલો વાંટડા ટોલટેક્સ નજીક 14 વીઘા નું ફાર્મ હાઉસ અને એમાં બે થી ત્રણ કરોડનું બાંધકામ કઈ એજન્સી એ બાંધકામ કર્યું.. ? ખર્ચો આર એમ બી સ્ટેટમાં પાડવામાં આવ્યો…?
નોકરી સમયગાળા દરમિયાન આવક કરતા વધુ અપ્રમાણસર સંપતિ કઈ રીતે શક્ય..? આ બે અધિકારીઓ ની છેલ્લા 6 વર્ષ થી એક જગ્યા એ..બદલી કેમ નથી નથી… ?
આ અધિકારીઓ દર વર્ષે મિલકત ની વિગતો સરકારમાં બતાવવાની હોય છે તો બતાવી છે કે નહિ…?? જિલ્લા કલેકટર સાહેબ જિલ્લા એસીબી અધિકારીઓ ના નજર માં કેમ નથી આવતું..?
અહી એક તરફ જિલ્લા માં અંતિમયાત્રા ને નદીમાંથી પસાર થવું પડ્યું ! કેમ કે રોડ ન હતો બે ગામને જોડતો ડીપ ન હતો એટલે લોકો બેજીક સુવિધાઓથી વંચિત છે બીજી બાજુ અરવલ્લી જિલ્લા માં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે કામ પણ નથી થતા અને બિલો લખાઈ જાય છે , જેનાથી સરકારી નાણાંનો બેફામ વપરાશ થાય છે અને લોકોને તેનો કોઈ લાભ મળતો નથી.આવું 40 કરોડ ઉપર નો ભ્રષ્ટાચાર નો ખેલ ખેલાયો છે અરવલ્લી જિલ્લામાં
એક કચેરીની અને એમાં રાજ કરતા અધિકારીઓ નો આવનારા સમય માં દિવાળી પહેલા પર્દાફાશ થશે ….અને એ કચેરી અને અધિકારીઓ ની દિવાળી નીકળશે