પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં બાયડ ગાબટ તેમજ સાઠંબા બજાર સજ્જડ બંધ
કિરીટ પટેલ બાયડ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને નિશાના બનાવીને ધર્મ પૂછીને 26 જેટલા પર્યટકોના સાથે આચરવામાં આવેલા અમાનવીય કૃત્યને વખોડી કાઢવા તેમજ મૃતક પર્યટકો સાથેના વિરોધમાં સમગ્ર દેશ આક્રોશની લાગણી અનુભવે છે ત્યારે બાયડ તાલુકાના બાયડ નગર તેમજ ગાબટ સાઠંબા ડેમાઇ જેવા વ્યવસાયિક સ્થળોએ સજ્જડ બંધ પાડીને આતંકવાદ વિરોધી બંધ પાડવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે દેશના અલગ અલગ રાજ્યમાંથી પર્યટકો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં રજાઓનો આનંદ માણવા માટે પોતાના સહ પરિવાર સાથે ગયા હતા ત્યારે અચાનક થયેલા આતંકવાદી હુમલા થી 26 જેટલા પર્યટકોને સીમા પારથી આવેલા ક્રૂર આતંકવાદીઓએ ધર્મ પૂછીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો પોતાના પરિવાર ની સામે કોઈના પતિ તો કોઈના પિતા ને આતંકવાદીઓએ મોતની ઘાટ ઉતારી લીધા હતા. આ અધમ કૃત્યને વખોડી કાઢવા માટે સમગ્ર દેશમાં આક્રોશની લાગણી છે
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નાથવા માટે તેમજ આતંકવાદીઓના સફાયા માટે ભારત સરકાર દ્વારા આંકરામાં આંકરા પગલાં લેવામાં આવે એવી માગણી દેશના નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે મૃતકોમાં ગુજરાતના પર્યટકો હતા જેમના પરિવાર ઉપર જાણે કે આપ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કોઈના લાડકવાયા એ પોતાની છત્રછાયા ગુમાવી છે તો કોઈ નવોઢાએ પોતાનું સિંદૂર ગુમાવ્યુ છે આવા કપરા સમયમાં સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાયો છે આ ઘટનાના દોષિતોને જલ્દી તેમના આ રાક્ષસી કૃત્યની આકરામાં આકરી સજા મળે એવી લોક લાગણી પ્રવર્તી રહી છે