તા.૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર નગરપાલિકા દ્વારા સરધારપૂર રોડ ઉપર આવેલ ઈદગાહ ધાર વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. જેમની જાળવણીના અભાવે શૌચાલય દારૂનો અડો બની ગયો છે. કેટલાક જેતપુર નગરપાલિકા દ્વારા સરધારપૂર રોડ ઉપર આવેલ ઈદગાહ ધાર વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે.
આ શૌચાલયનો દારૂ બનાવવા તેમજ પીવા માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. શૌચાલયના દ્રશ્યો જોતા જાણે દારૂના અડામાં હોય તેવો અનુભવ થયો હતો શૌચાલયમાં ઠેરઠેર દારૂની ખાલી કોથળીઓ તેમજ ગંદકીથી શૌચાલય ખદબદી રહ્યું હતું અને સૌથી ચોકાવનારી ઘટનાએ હતી કે શૌચાલયની અંદર દારૂ બનાવવાના પાંચ લીટરની ક્ષમતાના ૮ કેરબા આથાના ભરેલ નીકળ્યા હતાં. જેની જાણ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ આવી આથાના સેમ્પલ લઈ તેનો નાશ કરાયો હતો.
ત્યારે ગુજરાતમાં આવું શૌચાલય ક્યાંય નહીં હોય તેવા દ્રશ્યો જેતપુર નગરપાલિકાના શૌચાલયમાં જોવા મળ્યા હતા. આ શૌચાલય ૬ વર્ષ પૂર્વે નગરપાલિકાએ બનાવ્યું હતું. અને જ્યારથી બન્યું ત્યારથી સ્થાનિકો તેનો ઉપયોગ કરી શક્યા નથી. ત્યારે સ્થાનિક મહિલાઓ જણાવેલ કે, અહીં પચાસેક ઘર વચ્ચે આ એક જ શૌચાલય છે. ઘર ઘર શૌચાલય યોજના અંતર્ગત અહીં ઘરઘર શોભાના ગાંઠિયા જેવા શૌચાલયો નગરપાલિકાએ ઘરે ઘરે બનાવી આપેલ છે. આ ધાર વિસ્તારની જમીન પથરાળ હોય અહીં ખાડો પણ ખોદાતો નથી ત્યારે શૌચાલય માટે શૌચકુંડી કેમ બનાવવી જેથી તમામ ઘરોના શૌચાલયો બાથરૂમ તરીકે ઉપયોગ થાય છે.
લોકોની મૂળભૂત જરૂરીયાત એવા શૌચાલય વિશે સ્થાનિક મહિલાઓએ ફરીયાદ કરેલ કે, પુરુષો તો જ્યાં ત્યાં શૌચ ક્રિયા માટે જઈ શકે પરંતુ મહિલાઓનું શું ? અહીંની મહિલાઓને બે કિમી દૂર શૌચ ક્રિયા માટે જવુ પડે છે. આ વિસ્તાર અવાવરું હોય અહીં મહિલાઓ એકલી બહાર નીકળતા પણ ડરતી હોય ત્યારે બે કિમી દૂર શૌચ ક્રિયા માટે કેમ જવું ? જેથી સ્થાનિક મહિલાઓ નગરપાલિકા પાસે આ જાહેર શૌચાલયની નિયમિત સફાઈ, પાણીની ટાંકી તેમજ લાઈટની વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી હતી.