વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગિરિમથક સાપુતારાના સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનોને પ્રજાસત્તાક પર્વની ભેટ આપતા, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે, શામગહાન – સાપુતારા ઘાટમાર્ગ હેવી વેહિકલ માટે, બુધવાર તા.25/01/2023 થી શરૂ કરવાની જાહેરાત કરી છે.જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, ગત ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે નુકશાન પામેલા આ ઘાટમાર્ગને, અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. હવે આ માર્ગ ભારે વાહનો માટે અનુકૂળ થતા તા.25/01/2023 થી શરૂ કરવામા આવનાર છે.
શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ભારે વાહનો માટે શરૂ થતા સાપુતારા થી મહારાષ્ટ્ર તરફ જતા – આવતા ભારે વાહનો અને એસ.ટી. બસોના પ્રવાસીઓ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, માલ વાહક ટ્રકો વિગેરેને મોટો ફાયદો થશે.
સાપુતારાનો આ ઘાટમાર્ગ શરૂ કરવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા એક તાકીદની બેઠક યોજવામા આવી હતી. જેમા પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણ, નાયબ વન સરક્ષક શ્રી દિનેશભાઇ રબારી, એ.સી.એફ શ્રીમતી આરતીબેન ડામોર, એ.આર.ટી.ઓ. ડાંગ, એસ.ટી. કર્મીઓ તેમજ નેશનલ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.