DAHOD

દાહોદમાં અનોખી ઉજવણી : તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાયકલોથોન રેલી યોજાઈ

તા.14.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

આવો પેંડલ મારીએ અને સ્વાસ્થ્યની સાયકલ ભગાવીએ સ્વસ્થ મન સ્વસ્થ ઘરની દાહોદમાં અનોખી ઉજવણી  તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાયકલોથોન રેલી યોજાઈ

સ્વસ્થ જીવનશૈલીથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. જેનો ખુબજ સરળ અને પર્યાવરણને પણ ઉપયોગી થઈ પડે એવો ઉપાય છે રોજિંદા કામકાજમાં સાયકાલ જેવા સાધનોનો ઉપયોગ કરવો

રાજ્ય સરકાર લોકોને સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ કાર્યક્રમો થકી અવેરનેસ લાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે વ્યાપક જનજાગૃતિ આવે એ માટે સ્વસ્થ મન સ્વસ્થ ઘરની ઉજવણી આજ રોજ કરવામાં આવી છે. ત્યારે આજે દાહોદ જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાયકલોથોન રેલી યોજીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

તદ્નુસાર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ”સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણીના ભાગરૂપે ૧૪ ફેબ્રુઆરીના રોજ સાયકલેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જીલ્લા ના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરીને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રુત કરાયા હતા

સાયકલ ચલાવવા થી થતા ફાયદાઓ જેવા કેહદયની બીમારી થી બચાવે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, વજન ઓછું કરવામાં મદદ રૂપ છે, તણાવ ઓછો કરે છે, સાંધાના દુખાવામાં રાહત રહે છે, ઊંઘ પણ સારી આવે છે

આમ તેના પ્રચાર પ્રસાર અર્થે અને લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલી સાયકલ રેલીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!