VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાના યોગ કોચ ૩ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિરમાં સન્માનિત કરાયા

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ ઓગસ્ટ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૩ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર નડિયાદના વડતાલ ખાતે તા. ૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં આયોજિત યોગ કોચ તાલીમ શિબિરમાં યોગ અભ્યાસ, યોગ કોચના કાર્ય, યોગ આહાર, યોગ પ્રચાર માટે સોશિયલ મીડિયાનું મહત્વ, યોગ પ્રચાર માટે જન સંપર્ક વગેરે બાબતો પર નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ હતી. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાથી યોગ કોચ ધનસુખભાઈ પટેલ, તનુજા આર્ય, અશ્વિનભાઈ બસ્તા, શિવમ ગુપ્તા, મનીષા ઠાકોર, સંદીપ દેસાઈ, શીતલ ટ્રીગોત્રા, માયા ઘોડગે, પ્રીતિ વેષ્ણવ, વિપુલ ભંડારી, દક્ષા રાઠોડ અને ગોપાલ મહેતાએ શિબિરમાં ભાગ લીધો હતો. તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ દરેક યોગ કોચને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!