WANKANER:વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ પુરુષ આરોપીનો જામીન પર છુટકારો
WANKANER:વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ પુરુષ આરોપીનો જામીન પર છુટકારો
વાંકાનેર સીટી વિસ્તારમાં હત્યાનો બનાવ બનેલ હતો જે ગુનામાં પકડાયેલ મહિલા આરોપીના જામીન માટે વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ કરેલ દલીલ આધારે મહિલા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી જેથી તેનો જામીન પર છુટકારો થયેલ છે.
વાંકાનેર સીટી પોલીસે થોડા સમય પહેલા પુરુષ આરોપી ધનજીભાઈ કાનાભાઈ માલકિયા રહે. જાલી ગામ વાળની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી અને નીચલી કોર્ટમાં રજુ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું જેથી કરીને જે આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વકીલ મારફતે કરી હતી અને તેમાં આરોપી તરફે વાંકાનેરના યુવા વકીલ ભુપત એસ. લુંભાણી રોકાયેલ હતા અને આરોપી તરફેના વકીલે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી.એ. બુદ્ધ સાહેબે આરોપી ધનજીભાઈ કાનાભાઈ માલકિયાને ૨૫ હજારના શરતી જામીન આપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે જે કેસમાં આરોપી તરફે વકીલ ભુપત એસ. લુંભાણી, શિરાકમુદિન એમ. શેરસીયા તથા રવી કોબીયા રોકાયેલ હતા
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર