CHIKHLINAVSARI

ચીખલી ના મુખ્ય માર્ગ પર અકસ્માત ની રાહ જોઈને ઉભેલો વિજપોલ ક્યારે હટાવાશે?

 

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકા માંથી પસાર થતાં હાઇવે નંબર ૪૮ ને જોડતો અને ચીખલી થઈ વાંસદા સાપુતારા મુખ્ય માર્ગ પર હાલ અલગ અલગ ધાર્મિક સ્થળો નું દબાણ દૂર કરવાનો મુદ્દો ખૂબ ચર્ચા નો વિષય બન્યો છે.ત્યારે ચીખલી ના બગલા દેવ મંદિર થી કોલેજ સર્કલ સુઘી માં અનેક બીજા દબાણો જોવા મળે છે.ત્યારે વઘુ માં વાત કરીએ તો આ મુખ્ય માર્ગ પર જ વીજપોલ જોવા મળે છે.ત્યારે આ વિજપોલ કોઇ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યાં હોય એમ નજરે પડે છે. ત્યારે મુખ્ય માર્ગ પર અલગ-અલગ ધાર્મિક મંદિર અને દરગાહ આવેલી છે.જ્યારે આ મંદિર અને દરગાહ વર્ષો જૂનો અને ચીખલી ના દરેક ચડાવ ઉતાર ની સાક્ષી પૂરે છે.ત્યારે આ વર્ષો જૂના મંદિર અનેક ભાવિક ભક્તો ને પરચા પણ આપી ચૂક્યા છે.જ્યારે આ મંદિર અને દરગાહ ને દબાણ નું નામ આપી દૂર કરવાની વાતો હાલ સમગ્ર પંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે. ત્યારે આ જ માર્ગ પર અલગ અલગ જગ્યા પર વીજપોલ મુખ્ય માર્ગ પર જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉદભવી રહ્યો છે કે જે ધાર્મિક દબાણ દૂર કરવાં તંત્ર અનેક પ્રયત્નો કરી રહી છે. તો આ વીજપોલ ને હટાવવા તંત્ર શું પગલ લેશે?ત્યારે વહિવટી તંત્ર ને આ વીજપોલ અને માર્ગ ની બાજુમાં જ કરી દેવાયેલા દબાણથી કોઈ મોટા અકસ્માત સર્જાય જેની રાહ જોઇ ને બેઠાં હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.તો તંત્ર ના ધ્યાને આ દબાણો નથી આવતાં?જ્યારે હાલ ધાર્મિક દબાણ દૂર કરવા માટે અનેક તર્ક વિતર્કો કરતા અધિકારીઓ પહેલા આ વીજપોલ અને બીજા દબાણ હટાવે પછી લોકો ની આસ્થા સાથે જોડેલા ધાર્મિક સ્થળો નું દબાણ હટાવા બાજૂ કોઈ પગલાં લેવાશે તો વધુ હિતાવર રેહશે એમ નજરે પડી રહ્યું છે. ત્યારે હાલ થોડા સમય પહેલાં તાલુકા ના અમુક અધિકારી આ માર્ગ પર સર્વ કરવા માર્ગ ની સમીક્ષ અને માપણી માટે માર્ગ પર લટાર મારતાં જોવા મળ્યાં હતાં. ત્યારે આ માર્ગ પર આવેલ વીજપોલ આ અધિકારીઓ ને નજરે નથી પડ્યાં? આ માર્ગ પર બીજા અનેક દબાણ અધિકારી ના નજર માં નથી આવ્યા?જ્યારે આ ધાર્મિક સ્થળો નું દબાણ દૂર કરવા વર્ષો થી પ્રયાસો થઈ રહ્યા છે તો શું એનો કોઈ વિકલ્પ નથી? જ્યારે અનેક લોકોને આસ્થા સાથે જોડાયેલ ધાર્મિક સ્થળો કે જેમાં બે મંદિર અને બે દરગાહ ને તોડી નાખી કે બીજાં સ્થળે ખસેડવું એ સિવાય કોઈ બીજા વિકલ્પો નથી? ત્યારે વહિવટી તંત્ર હાલ તો અક્સ્માત ની રાહ જોતાં આ વીજપોલ ને તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લઈ મુખ્ય માર્ગ થી દૂર કરે એ હાલ સમય ની માંગ ઉઠવા પામી છે. ત્યારે જોવું એ રહ્યું કે આવનાર સમયમાં વહિવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાશે.બોક્સ:-
ચીખલી તાલુકાના ધાર્મિક સ્થળો નું દબાણ દૂર કરવા થનગનાટ કરતું વહિવટી તંત્ર અક્સમાત ની રાહ જોઇ ને બેઠેલાં વિજપોલ માર્ગ પર થી દૂર કરશો ખરા? 


 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!