KHEDBRAHMASABARKANTHA

સાબરકાંઠા જીલ્લા ના ખેડબ્રહ્મા તાલુકા મા નોદિવ્યાંગ બાળક મળી આવેલ છે.

મનોદિવ્યાંગ બાળક મળી આવેલ છે.

**************

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા ખેરોજ પોલીસ સ્ટેશનમાં હિંગટીયા ગામની સીમમાંથી ૧૨ વર્ષની ઉંમરનું મનોદિવ્યાંગ ગુમશુદા બાળક મળી આવેલ છે. બાળક શ્યામ વર્ણ, મધ્યમ બાંધાનો બહેરા-મુંગા તેમજ જમણી આંખે પાંપણ પર વાગેલાનું નિશાન છે. આ બાળક હાલમાં જુનાગઢના સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રષ્ટ,ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, નંદ કિશોર નર્સરી સામે ,વિજાપુર પાટીયા પાસે આશ્રય લઈ રહ્યુ છે. આ બાળકના કોઇ વાલી વારસ હોય તો ૬૦ દિવસમાં આધાર પુરાવા સાથે સંસ્થા/કચેરીનો સંપર્ક કરવો. તે માટે ૦૨૮૫૨૬૮૧૬૧૨ નંબર પર સંપર્ક કરવો. આ સમયમર્યાદા બાદ વાલી તરફનો કોઇ પણ હક દાવો કરવામાં નહિં આવે તો ચાઇલ્ડ વેલ્ફેર કમીટી દ્વારા બાળકના ભવિષ્ય માટે કાયદેસર રીતે લીધેલ નિર્ણય આખરી ગણાશે. એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!