GIR SOMNATH
વાવાઝોડા સાથે મેઘરાજા નું રૌદ્ર સ્વરૂપે આગમન વેરાવળ અને સૂત્રાપાડા મા 24 કલાક મા 8.5 ઇંચ વરસાદ
દાનસીંહ વાજા
ગીર સોમનાથ
સાયકલોનીક સર્કયુલેસન નાં કારણે હવામાન વિભાગે ભારે વરસાદ ની આગાહી કરી છે જેના પગલે સોમવારે વહેલી સવાર થી રાજ્ય નાં મોટા ભાગના વિસ્તારો મા વાતાવરણ માં પલટો આવ્યો હતો રાજ્ય ના મોટાભાગ ના વિસ્તારો મા ભારે પવન સાથે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ સરું થયો હતો. ત્યારે વેરાવળ અને સૂત્રાપાડા ને મેઘરાજા એ ધમરોળી નાખ્યુ છે. 24 કલાક મા આ બન્ને વિસ્તારો મા સાડા આંઠ ઇંચ વરસાદ ખાબક્યો છે આથી નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયાં હતાં. હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આના પગલે સૌરાષ્ટ્ર નાં 6 જિલ્લામા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.