HALOLPANCHMAHAL

હાલોલ ઝારોળા યુવા સંગઠન ને જ્ઞાતી દ્વારા યોજાયેલ થનગનાટના કાર્યક્રમમાં પ.પૂ.વગીશકુમારજી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા 

તા.૮.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ શહેરમાં વસતાં ઝારોળા સમાજના જ્ઞાતીજનો ને યુવા સંગઠન દ્વારા પાછલાં ૬ વર્ષ થી જ્ઞાતીના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જ્ઞાતીની ગાંધીચોક ખાતે આવેલ વાડી ખાતે થનગનાટ નો કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં શનિવારના રોજ સાંજના સમયે થનગનાટ-૨૦૨૨ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જ્ઞાતીના બાળકો દ્વારા વિવિધ નૃત્યો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.હાલોલ નગરમાં વસતાં ઝારોળા સમાજના જ્ઞાતીજનો અને યુવા સંગઠન દ્વારા પાછલાં ૬ વર્ષથી નગરમાં આવેલ જ્ઞાતીની વાડી ખાતે થનગનાટ નો કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં શનિવારના રોજ સાંજના સમયે વડોદરાના પ.પૂ.વાગીશકુમારજી મહારાજશ્રી ની તથા હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ની પ્રેરક ઉપસ્થિતિમાં જ્ઞાતીના વડીલો અને આગેવાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ નો આરંભ કરવામાં આવ્યો હતો.જેમાં સૌ પ્રથમ વાર્ષિક પરિક્ષામાં સારા ક્રમાંકે ઉત્તિર્ણ થયેલા જ્ઞાતીના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જ્ઞાતી તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા.જે બાદ જ્ઞાતીના સિનીયર સિટીઝન વડીલોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.અને બાદમાં બાળકો દ્વારા વિવિધ નૃત્યો રજુ કરી હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ઝારોળા યુવા સંગઠન દ્વારા થનગનાટ 2022 નો પ્રોગ્રામ નું આયોજન ખૂબ જ સુંદર રીતે થયું અને સમગ્ર પ્રોગ્રામને ખૂબ જ સારી રીતે ઉજવવા બદલ જ્ઞાતિના વડીલો અને જ્ઞાતિજનો દ્વારા યુવા સંગઠનના કાર્યકર્તાઓને સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!