NARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને પડતી અગવડ.

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનિશ ખાન બલુચી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને પડતી અગવડ.

SOU સત્તા મંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે હેતુથી પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સુવિધાઓનો લાભ પ્રવાસીઓને મળે છે કે નહીં તે જોવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓને ફુરસત નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં આવેલ ટિકિટ કાઉન્ટર છેલ્લા પાંચ છ દિવસથી બંધ હાલતમાં છે ત્યાં કર્મચારીને પૂછતા માલુમ પડ્યું કે આ કાઉન્ટર પાંચ દિવસથી બંધ છે એના કારણે ઘણા પ્રવાસીઓ હેરાન પરેશાન થાય છે અને ટિકિટ લેવા માટે આ પ્રવાસીઓને આટલા બધા તાપમા છેક જંગલ સફારી સુધી જવું પડે છે. ને હવે ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી છે અને પ્રવાસીઓને ઘસારો દિવસે દિવસે વધતો જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કાઉન્ટર ચાલુ કરે SOU સત્તા મંડળના અધિકારીઓ.

પ્રવાસીઓ માટે એસ ઓ યુ સત્તા મંડળ દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓને હાલાકી નો સામનો કરવો પડે છે આવનાર પ્રવાસીઓનું કહેવું છે કે અહીંયા ચાલવું ઘણું પડે છે સફારી પાર્કથી વેલી ઓફ ફ્લાવર વેલી ઓફ ફ્લાવરથી પાર્કિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જગ્યા ઉપર બે ત્રણ કિલોમીટર ચાલવામાં થઈ જાય છે આમાં અમારી જોડે અમારા વડીલો ઉંમર વાળા હોય એવા પ્રવાસીઓની હાલત ખૂબ કફોડી થઈ જાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આવનાર પ્રવાસીઓને ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે ઓનલાઇન ટિકિટની સેવા શરૂ કરેલ છે તેમ છતાં ઓનલાઇન ટિકિટ બુકિંગ ના કારણે પ્રવાસીઓ ઘણીવાર છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!