GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અયોધ્યા ખાતે શ્રી રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા માટે પ્રસ્થાન કરતા કાલોલના યુવાન ને ભાવભીની વિદાય.

તારીખ ૧૩/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના નિવાસી અને વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલના મઠ-મંદિર સંયોજક હરિકૃષ્ણભાઈ પટેલની અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા માટે પસંદગી થઈ છે. જે અયોધ્યામાં તારીખ ૧૨/૦/૧/૨૦૨૪ થી તારીખ ૨૫/૦૧/૨૦૨૪25/ સુધી સેવા આપશે.તારીખ ૧૨/૦૧/૨૦૨૪ શુક્રવારના રોજ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરતા પહેલા શ્રી રામજી મંદિર કાલોલ ખાતે શ્રી રામની પૂજા આરતી કરી પ્રસ્થાન કર્યું. કાલોલના સ્વયંસેવકોએ પણ શુભેચ્છાઓ પાઠવીને તેમને ભાવભીની રીતે પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં પંચમહાલ વિભાગ (પંચમહાલ,દાહોદ,મહીસાગર) માંથી એક માત્ર સ્વયંસેવક તરીકે સેવા માટે પસંદગી થતા આપણા વિસ્તાર માટે ખૂબ આનંદનો વિષય છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!