વિજાપુર ખાતે દિવ્ય જ્યોત આચાર્ય બુદ્ધિસાગર મહારાજ ના 150 મી જન્મજ્યંતી નિમિત્તે કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માં આવેલ બુદ્ધિસાગર જૈન મંદિરનાં દિવ્ય જ્યોત આચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગર મહારાજ ની 150 માં વર્ષગાંઠ ની ભવ્ય ઉજવણી જૈન સમાજ અને પાટીદાર સમાજ ના સયુંકત રીતે ઉજવણી કરવામાં આવી હતી, બુદ્ધિસાગર મહારાજે તાલુકા ના સાત પરા પાટીદાર સમાજ ના શીવાભાઈ પટેલ ના ઘેરે મ 1874 માંમાતા અંબા બા ને કુખે જન્મ લીધો હતો તેમનું અસલ નામ બેહચરદાસ પટેલ તેઓ એ 1901 માં જૈનધર્મ ના શ્રીમદ્દ આચાર્ય સુખ સાગર મહારાજ પાસેથી જૈન સાધુ ની શિક્ષા લઈ જૈન ધર્મ અંગીકાર કરી આચાર્ય તરીકે મુની બુદ્ધિસાગર મહારાજ તરીકે પ્રખ્યાત બન્યા હતા તેઓ એ 1917 માં મહુડી જૈનતીર્થ ના ધાર્મીક મંદિર નો વિકાસ કરવા માં અગત્ય નો ફાળો રહ્યો છે તેઓ નું નિધન 1925 દેવલોક સિધાવ્યા હતા તેઓની આ જન્મજયંતી પાટીદાર સમાજ જૈન સમાજે તા 10/3/2024 ના રોજ રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો રાખવા માં આવ્યા હતા
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.