DAHOD

તિબેટ ની આઝાદી માં ભારતની સુરક્ષા પરનો સેમિનાર તથા તિબેટિયન રેફયુજી સાથે મૈત્રી ભોજન નું આયોજન કરવામાં આવ્યું

તા.02.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

તિબેટ ની આઝાદી માં ભારતની સુરક્ષા પરનો સેમિનાર તથા તિબેટિયન રેફયુજી સાથે મૈત્રી ભોજન નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ દાહોદ ખાતે ગુજરાત સ્ટેટ કો ઓર્ડીનેટર ડોક્ટર અમિત જ્યોતિકર જી ના માગૅદશૅન હેઠળ તથા ગુજરાત રાજ્ય ભારત તિબ્બત મૈત્રી સંઘ ના મંત્રી શ્રી સતિષ પરમાર , ભારત તિબ્બત મૈત્રી સંઘ ના દાહોદ પ્રમુખ ડોક્ટર મધુકર રાજારામ વાઘ ની સહયોગથી એક દિવસીય સેમિનાર નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

સૌ પ્રથમ પ્રમુખ ના સ્વાગત પ્રવચન બાદથી ભારતે તિબેટ માટે કરેલા પ્રયત્નો, સામાજિક સાંસ્કૃતિક, આંતરરાષ્ટ્રીય સંબંધો તથા તેના સારા નરસા પાસા વગેરે વિશે વિસ્તૃત માહિતી ડોક્ટર અમિત જ્યોતિકર જી દ્વારા જણાવવામાં આવી હતી.‌ આ સમયે વિવિધ આગેવાનો વતીથી પણ મનોગત રજૂ કરવામાં આવ્યા હતા અમિત જ્યોતિકર એ જણાવ્યું હતું કે તિબેટ ની આઝાદી માં ભારતની સુરક્ષા રહેલી છે

આ તબક્કે દાહોદ માં આવેલા તિબેટીયન રેફયુજી ઓનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. અતિથી વિશેષ માં શ્રી કેતનભાઈ બામણીયા, સામાજિક કાર્યકર શ્રી નરેશભાઈ ચાવડા, વિનય બોરકર , સંઘદીપ લોનારે જી તથા પરિવાર તેમજ પત્રકાર મિત્રો શ્રી નિલભાઈ, સાજીદભાઈ મલેક, સાબીર ભાઈ ભાભોર તથા અન્ય મિત્રો હાજર રહ્યા હતા આવનાર દિવસોમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધ વધુ મજબૂત પરમ પાવન દલાઈ લામા જી ના જીવન કાયૅ વિશે પણ વિશેષ ચચૉ કરવામાં આવી.. જે બાદથી મૈત્રીપૂર્ણ ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં આજના દિવસે વિશેષ સેવા આપવા બદલ શ્રી કૃષ્ણ ભોજનાલય નો તમામ કમૅચારીઓ નો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું એનકરિગ સતીષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!