BANASKANTHAPALANPUR

પરિવર્તન ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે જીલ્લા જેલ માં યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

20 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કેદીઓ ના જીવન માં પરિવર્તન ઉદ્દેશ્ય થી આયોજન કરવામાં આવે છે: મનોજ ઉપાધ્યાય.————————————————————-પાલનપુર જીલ્લા જેલ માં પરિવર્તન ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે ત્રી દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું આ યોગ શિબિર માં જેલ માં કેદીઓ ના જીવન માં માનસિક અને શારીરિક શાંતિ તથા બદલાવ આવે એવા શુભ આશય થી આયોજન કરવામાં આવે છે ત્રિદિવસીય શિબિર પછી એમાં થી યોગ શીખનાર કેદી વર્ષ સુધી બીજા કેદીઓ ને યોગ કરાવતા હોય છે યોગ ના બીજા દિવસે પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહી કેદીઓ ને માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભારતીય શાસ્ત્રો પ્રમાણે જીવન જીવવાની રીત ખુબ ઉચ્ચ કોટી ની છે અને તે મુજબ જીવન જીવવાથી ખુબ બધી સમસ્યા માંથી મુક્ત થઈ શકાય છે આ અંગે પરિવર્તન ગ્રુપ ના ચેરમેન મનોજ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની પ્રેરણા થી આખું વિશ્વ યોગ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમે છેલ્લા સાત વર્ષ થી ત્રિદિવસીય યોગ શિબિર નું આયોજન કરીએ છીએ અને કેદીઓ ને માનસિક શાંતિ માટે યોગ ની ખુબ જરૂર પણ હોય છે કેદી જેલ માંથી બહાર આવી ને સમાજ વચ્ચે એક શ્રેષ્ઠ જીવન જીવે એ જ અમારો આશય છે આ કાર્યક્રમ માં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જેલ અધિક્ષક પી વી ગોહિલ, પરિવર્તન ગ્રુપ ના ચેરમેન મનોજ ઉપાધ્યાય તથા જેલ ના અધિકારીઓ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!