GUJARATMAHISAGAR

મહીસાગર જિલ્લાના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

જિલ્લા વહીવટી તંત્ર મોડી રાત સુધી બચાવ કામગીરી કરી

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં કારણે જિલ્લામાં અનેક ગામોમાં પાણી ભરાય ગયા હતા . જિલ્લા કલેકટર  ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ અને નગરપાલિકા ની ટીમો સાથે રવિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.

મહિસાગર જિલ્લાના જુફ્રાલી ગામે તળાવમાં વધુ પાણી ભરાવાથી તેની સંભવિત અસરોને પહોંચી વળવા માટે પોલીસની એક ટીમ ગામ ખાતે પહોંચી હતી અને પ્રાથમિક ઉપાય સંબંધે તળાવનું રીપેરીંગ કામ તેમજ અસરગ્રસ્ત થાય તેવા તમામ સંભવિત ગામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી હતી.

મહિસાગર જિલ્લામાં પડેલા વરસાદને કારણે બાબલિયા તરફ જતા હાઇવે રોડ ઉપર ગાંધિયાના મુવાડા ગામે હાઈવે રોડ પર ઝાડ રસ્તા વચ્ચે પડી ગયા હતા અને વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા જે.સી.બી. મંગાવી ઝાડને ખસેડી લેવામાં આવ્યું છે. હવે માર્ગ પુનઃ શરૂ થઇ ગયો છે.

જુફ્રાલી ગામ તળાવ થી અસરગ્રસ્ત થાય એવા તમામ સંભવિત ગામોમાં જઈ સ્થળાંતર કરવાની સુચના માર્ગદર્શન આપવામાં આવેલ છે.

મોકમસિંહ ના ભેવાડાં ગામના માલીવાડ ફળિયામાં ચારે બાજુ મહીસાગર નદીનું પાણી ભરાઈ જતાં માલીવાડ ફળિયાના માણસોને રેસ્ક્યું કરી બહાર કાઢી નજીકની પ્રાથમિક શાળા માં સ્થાળાંતર કરવામાં આવ્યું. વાંસીયા તળાવ માં પાણીની સપાટી વધતા વાંસીયા તળાવ પાસે આવેલ અંજાણવા કોલોની માંથી લોકો નું સ્થણાંતરણ કરવામાં આવેલ છે

કાકાના ભેસાવાડા મુકામે નાયક ફળિયામાં રહેતા માણસોનાં મકાનમાં પાણી ભરાઈ જતાં તેઓને પ્રાથમિક સ્કૂલમાં સ્થળાંતર કરી લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ફૂડ પેકેજની વ્યવસ્થા કરવામાં આવી. સુતરીયા ગ્રામ પંચાયત તા. બાલાસિનોર માં 70 લોકો નું સ્થળં|તર સ્કૂલમાં અને કૉમ્યૂનિટી હોલ માં કરવામાં આવી હતી

જિલ્લા કલેકટર  ભાવિન પંડ્યાએ અસરગ્રસ્ત ગામોને સલામતી અર્થે મોડી રાત સુધી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડાતા કોઈ જાનહાનિ થઈ નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!