GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાસાવડની ગાયને યુટેરાઈન પ્રોલેપ્સની તકલીફનું નિવારણ કરતુ ૧૯૬૨- ફરતુ પશુ દવાખાનું

તા.૨૭/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકાર દ્વારા પશુ દવાખાનાઓ થકી અબોલ પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે એક સેવાભાવી વ્યકિતએ ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનમા ફોન કરી વાસાવડ ગામમાં એક ગાયની તકલફ વિષે જાણ કરી હતી.

કોલ મળતાની સાથે ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજર પ્રિયાંકભાઈના માર્ગદર્શન હેઠળ ડો. સાગર સાધુએ પાઈલોટ મયુુરભાઈ જળુની મદદથી ગાયને લાગુ પડેલી યુટેરાઈન પ્રોલેપ્સની યોગ્ય સારવાર આપી તેને પીડામુક્ત કરી હતી. ગ્રામજનોએ ૧૯૬૨ની આ સેવાને બિરદાવી હતી. આમ ગુજરાત સરકાર તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાનું છેવાડામાં રહેતા પશુપાલકો માટે પણ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!