થાન તરણેતર ખાતે 6 સપ્ટેમ્બરથી 8 સુધી યોજાનાર મેળાનાં આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી. ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

તા.31/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી. ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે ઘણા મેળાઓ બંધ રહ્યા હતા ત્યારે જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે દર વર્ષે યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો યોજવા અંગે આજે જિલ્લા કલેકટર કેયુર સંપટના અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંબધિત અધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા કલેકટરએ તરણેતરનો ભાતીગળ લોકમેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સુચના આપ્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તે પ્રકારનાં ક્ષતિરહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે કલેક્ટરએ મેળાને ધ્યાનમાં રાખીને મેળાનું મેદાન, તરણેતર જતા વિવિધ રસ્તાઓની ચકાસણી કરી ભારે વરસાદ બાદ તૂટેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ, રસ્તાઓ પર સાઈન બોર્ડ ગોઠવવા સહિતની કામગીરી, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ મેળાનાં મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ-એમ્બ્યુલેન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું આ ઉપરાંત, મેળામાં નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે ત્યારે તેને ધ્યાનમાં રાખી નિયત SOP મુજબ મેળાનું આયોજન થાય તે માટે અને મેળામાં દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમ, SDRFની ટીમો સહિતની જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વિગતવાર સૂચનો કર્યા હતા મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્ટોલધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝા સહિત તરણેતર સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા જિલ્લા કલેકટરએ તરણેતર ખાતે મેળા સંદર્ભે મિટીંગ યોજ્યા બાદ મેળાનાં સૂચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે એક બેઠક યોજી હતી આ બેઠકમાં જિલ્લા કલેકટરએ ઉપસ્થિત તમામ અધિકારીઓને કામની વહેંચણી કરી જરૂરી દિશા નિર્દેશો કર્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને કલેક્ટરએ આયોજન સંબંધી વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી મેળામાં આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી. ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે આ ઉપરાંત મેળામાં ડિઝાસ્ટર રૂમ પણ તૈયાર કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.




