GUJARATPANCHMAHALSHEHERA

શહેરા ના સલામપુરા નજીક શહેરા થી નાંદરવા જતો છકડો પલ્ટી જતાં 70 વર્ષીય વૃધ્ધ મહિલા અને 7 વર્ષીય બાળકી નું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત

શહેરા

નિલેશ દરજી શહેરા

શહેરા ના સલામ પુરા નજીક શહેરા થી નાંદરવા જતો છકડો પલ્ટી જતાં 70 વર્ષીય વૃધ્ધ મહિલા અને 7 વર્ષીય બાળકી નું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત જ્યારે 5 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા

 

શહેરા થી નાંદરવા તરફ જઈ રહ્યો તે સમય દરમ્યાન શહેરા નગરપાલિકાના સલામપુર ગાયત્રી મંદિર પાસે ગફલતભરી રીતે હંકારી આવતા છકડા ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો,જેને લઈને છકડામાં સવાર સુકીબેન રવજીભાઈ નાયક નામના 70 વર્ષીય વૃધ્ધા અને રાધા દિનેશભાઈ નાયક નામની એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,જ્યારે છકડામાં સવાર 5 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને 108 મારફતે શહેરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં શહેરા પોલીસ મથકના પીઆઈ આર.કે.રાજપુતે સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃત્યુ પામેલ બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરા પીએમ રૂમમાં મોકલી આપી ફરાર છકડા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!