ઓગડ વિદ્યા મંદિર થરામાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું.
ઓગડ વિદ્યા મંદિર થરામાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું.

ઓગડ વિદ્યા મંદિર થરામાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ ઓગડ વિધા મંદિર હોલમાં શ્રી કાંકરેજ વિભાગ રાજપુત કર્મચારી મહામંડળ અને કાંકરેજ રાજપૂત યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર ૯ ઓગસ્ટ ૨૦૨૬ ના યોજાયો હતો.મુખ્ય મોટીવેશન સ્પીકર ર્ડો. કલ્યાણસિંહ ચંપાવત,પ્રો. મકનસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે પાસ કરવી,વિદ્યાર્થીઓને GPSC,UPSC,TET-TAT, POLICE કોન્સ્ટેબલ, આર્મી, B,S,F, તલાટી,વર્ગ -1-2,વગેરે તૈયારી કરતા વિદ્યાર્થી માટે દરરોજ કેટલા કલાક વાંચન કરવું,ક્યા ક્યા વિષય પર વાંચન કરવું,એક લક્ષ્ય ઉપર થી કોઈ પણ પરીક્ષા પાસ ગોલ કરી શકાય.સેમિનારમાં ૨૦૦ આસપાસ વિધાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.કાંકરેજ અને ઓગડ તાલુકાના સામાજિક આગેવાનો,યુવાન મિત્રો, ભાઈઓ-બહેનોઓએ માર્ગદર્શન સેમિનાર ને ઉજ્જવળ બનાવો હતો. શ્રી કાંકરેજ વિભાગ રાજપુત કર્મચારી મંડળ અને રાજપુત યુવા ટીમની સતત મહેનતથી આ માર્ગદર્શન સેમિનાર સફળ બનાવ્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
કાંકરેજ /ઓગડ તાલુકો









