GUJARAT

નર્મદા જિલ્લામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પાંચ સામે ગુનો દાખલ

નર્મદા જિલ્લામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પાંચ સામે ગુનો દાખલ

 

આરોપીઓએ તલાટી કમ મંત્રીના સિક્કા બનાવ્યા, ડુપ્લીકેટ સહી કરી દાખલા બનાવી આપ્યા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

RTE હેઠળ આવક મર્યાદામાં આવતા વાલીઓ વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા પાત્ર થાય તેવી સરકારે સુવિધા પૂરી પાડી છે ત્યારે કેટલાક તક સાધુઓ બનાવટી આવકના દાખલા બનાવી આ યોજનાનો ગેરલાભ લેતા હોવાનું નર્મદા જિલ્લામાં બહાર આવ્યું છે જે બાદ તલાટી ના નકલી સિક્કા બનાવી કોભાંડ કરનાર પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે

 

 

જેમાં આરોપીઓ (૧) રાહુલભાઇ કનૈયાલાલ પ્રજાપતી રહે.ભદામ તા.નાંદોદ જી.નર્મદા (૨) દર્પણભાઇ ઉર્ફે દિલિપભાઇ ચન્દ્રકાંત પટેલ રહે.ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા (૩) અનિલકુમાર મનુભાઇ રોહિત રહે.ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા (૪) દક્ષાબેન નરેન્દ્રભાઇ બારીયા રહે.ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા (૫) કલ્પનાબેન અનિલભાઈ વસાવા રહે.વણજર તા.નાંદોદ જી.નર્મદા નાઓએ તા.૦૩/૦૩/૨૦૨૫ થી તા.૦૮/૦૩/૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન ભદામ તથા ગામકુવા તથા ભચરવાડા તથા બોરીદ્રા ગૃપ ગ્રામ પંચાયતોના ખોટા આવકના દાખલા બનાવી તેમા ફરીયાદી તથા ગામકુવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાહુલભાઇ વિહાભાઇ દેસાઇ તથા બોરીદ્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આશીયાબાનુ એમ. શેખ તથા ભચરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પરેશભાઇ એચ ઝાલા નાઓની ખોટી સહીઓ કરી ઉપરોકત તમામ ગ્રામપંચાયતોના ખોટા સીક્કાઓ બનાવી ખોટા આવકના દાખલામાં તેનો ઉપયોગ કરી ખોટા આવકના દાખલાઓનો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લેવા માટે ઉપયોગ કરી ગુન્હો કરતા માલૂમ પડ્યા હતા ત્યારે પોલીસે પાંચેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!