GUJARATMORWA HADAFPANCHMAHAL

ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વેચાણ કરવા માંગતા જિલ્લાના ખેડૂતો જોગ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

***********

*પી.એમ.આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે*

***********

*તા.૧૫ મી સપ્ટેમ્બર સુધી ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ મારફતે હાથ ધરાશે*

***********

*પંચમહાલ, મંગળવાર ::* ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારએ વર્ષ : ૨૦૨૫-૨૬ ના ખરીફ પાકો માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે મુજબ મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૭૨૬૩, મગ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૮૭૬૮, અડદ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૩૨૮ ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૧૫/૦૯/૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા ખેડુત દ્વારા જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ દ્વારા વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવનાર છે. જેનો જિલ્લાના તમામ ખેડુતોને લાભ લેવા અનુરોધ કરાયો છે. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

 

Back to top button
error: Content is protected !!