BHILODAGUJARAT

ભિલોડા : દીકરા અને પિતા વચ્ચે રૂપિયાના બાબતે બોલાચાલી થતાં દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી,લોહી બંધ ન થતાં માથાના વાળ લેઝર વડે કાઢી ઘઉંનો લોટ લગાવ્યો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ભિલોડા : દીકરા અને પિતા વચ્ચે રૂપિયાના બાબતે બોલાચાલી થતાં દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી,લોહી બંધ ન થતાં માથાના વાળ લેઝર વડે કાઢી ઘઉંનો લોટ લગાવ્યો

પપ્પા સાથે પૈસા બાબતે બોલચાલી બાદ પુત્રએ પિતાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી

ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે જેમાં પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો આરોપી પુત્ર એ તીક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું.આરોપી પુત્રએ મૃતક પિતાએ પહેરલ કપડા તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર

મળતી માહિતી તેમજ ફરિયાદ અનુસાર તા.૧૯/૦૪/૨૦૨૫ રોજ ફરિયાદી સાસરીમાં હતી તે વખતે સવારના આશરે સાડા દશેક વાગે ફરિયાદીના મામાના દીકરા વિશાલભાઇ અમૃતભાઈ ખરાડી રહે.ઝુમસર છાપરા વાળાના મોબાઇલ ન ઉપરથી મનીષાબેનના મોબાઇલ ઉપર ફોન આવેલો અને તેણે વાત કરી જણાવેલ કે ,તારો ભાઇ શેખર થોડીવાર પહેલા ઝુમસર છાપરા મુકામે આવેલ હતો અને તેણે જણાવેલ કે ગઇ તા.૧૮/૦૪/૨૦૨૫ ના રાત્રીના આશરે સાડા દશેક વાગે મારે પપ્પા સાથે પૈસા બાબતે બોલચાલી થતા મારા પપ્પાએ પૈસા આપવાની ના પાડતા મે પપ્પાને માથાના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે માર મારતા લોહી નિકળેલ અને લોહી બંધ થતુ ન હોય જેથી મે માથાના વાળ લેઝર વડે કાઢી નાખેલ છે અને જયા વાગેલ હતુ ત્યાં  ઘંઉનો લોટ લગાડી દીધેલ પરંતુ લોહી બંધ ન થતા તે મરણ ગયેલ. જેથી ઘરમાં જ્યાં જ્યાં લોહીના ડાઘા પડેલ હતા ત્યાંમે કોઇની નજરમાંના આવે તે હેતુથી સાફ સફાઇ કરી પછી પપ્પાને નવડાવી દીધેલ છે અને પપ્પાના લોહી વાળા કપડા ધોવાના બાકી છે તેવી વાત કરેલ છે તો તું ઘરે જઇ તારા પપ્પાને જોઇ આવ તેવી વાત કરતા ફરિયાદીની મોટીબેન જયશ્રીને ફોન કરી ઉપરોકત હકીકતની જાણ કરી  બન્ને જણા પોતાના પપ્પાના ઘરે ગયેલાઅને ત્યાં જઇ જોયેલ તો ઘરના દરવાજાને તાળુ મારેલ હોય જેથી બહારથી પોતાના પપ્પાને બોલાવેલ પરંતુ અંદરથી કોઈ જવાબ આવેલ નહી જેથી  પતિને કહેલ કે, તમો ઘરના દરવાજાને લગાડેલ તાળુ તોડી નાખો તેમ કહેતા તેઓએ તાળુ તોડી નાખેલ અને પછી અંદર જઇ જોયેલ તો ઘરમાં પપ્પા એકલા ખાટલામાં સુતેલ સ્થિતિમાં હતા અને ઉપર ચાદર ઓઢાડેલ હતી જે ચાદર હટાવી જોતા તેઓના માથાના ભાગે ખાખી કલરનું કપડુ બાંધેલ હતુ જેથી પપ્પા પપ્પા એમ બે ત્રણ વાર જગાડવા સારૂ બોલાવેલા પરંતુ તે જાગેલ નહી કે કંઇ બોલેલ નહી જેથી તેઓને હાથ પકડી બોલવતા તેઓનું શરીર જકડાઇ ગયેલ હતુ જેથી ફરિયાદી ગભરાઇ ગયેલ અને ત્યારપછી ફરિયાદીના પતિએ પોતાના દાદાને ફોન કરી બોલવાતા તે પણ ત્યાં આવી ગયેલા અને તપાસ કરી જણાવેલ કે તારા પપ્પા મરણ ગયેલ છે તેવી વાત કરતા  પોતાની મોટીબેન જયશ્રીબેનને ફોન કરી જણાવેલ ત્યારબાદ ફરિયાદીના પતિએ માયાવતીને ફોન કરી ઉપરોકત બનાવ અંગે પોતાની મમ્મીને જાણ કરવા જણાવેલ અને સાથે સાથે   ગામના આગેવાનોને તેમજ ગામના સરપંચને વાત કરેલ. ત્યારબાદ સાંજના આશરે છ એક વાગે ફરિયાદીની મમ્મી અમદાવાદથી ઘરે આવેલ ત્યારપછી ઉપરોકત બનાવ અંગે તેની સાથે વાતચીત કરી જીવાભાઇ મનજીભાઇ સડાત તથા ગામના સરપંચ રાકેશભાઈ કાન્તીભાઈ કોટવાળ થતા ગામના આગેવાન અરવિંદભાઇ નાનજીભાઇ ભગોરાએ એ ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલિસ ઘટના સ્થળે પોંહચી લાશને પી એમ અર્થ એ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને હત્યા કરનાર દીકરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!