
વિજાપુર સૈયદવાડા કસ્બા ખાતે સ્થિત મદ્રસા એ ગરીબ નવાઝમાં પરીક્ષા પરિણામ વિતરણ સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને ઇનામોથી પ્રોત્સાહિત કરાયા
વિજાપુર સૈયદવાડા કસ્બા ખાતે કાર્યરત મદ્રસા એ ગરીબ નવાઝ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ વિતરણ સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો. કસ્બા મસ્જિદની ઉપર આવેલી બાલ્કનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમનું સંચાલન સૈયદ મુહમ્મદ આઝમ હુસૈને કર્યું હતું જ્યારે આભારવિધિ સૈયદ મુહમ્મદ સાદિક અને ટ્રસ્ટી સૈયદ નુરુલ હસન દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દીની અને આધુનિક શિક્ષણ બંનેનું મહત્વ સમજાવી વાલીઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.






