TET-2ની પરીક્ષાના અનેક કેન્દ્રોમાં ફેરફાર કરાયો
રાજ્ય સરકાર દ્વારા લેવાનાર
TET-2ની પરીક્ષા માટે અનેક કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે. TET-2ની પરીક્ષા માટે અમદાવાદ અને વડોદરાના કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોને નવા પરીક્ષા કેન્દ્રોને ધ્યાને લેવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બે દિવસ બાદ રવિવારના રોજ TET-2ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષાના બે દિવસ પહેલા જ ઘણા બધા પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં અમદાવાદના 5 અને વડોદરના 2 જેટલા પરીક્ષાના કેન્દ્રોમાં ફેરફાર થયો છે. આ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડે ઉમેદવારોને નવા કેન્દ્રોને ધ્યાને લેવા માટે સૂચના આપી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ દિવસ પહેલા 16મી એપ્રિલના રોજ TET-1ની પરીક્ષા લેવામાં આવી હતી. TET-2ની પરીક્ષાની તારીખની અગાઉ જાહારાત કરાઈ હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારના રોજ લેવાનાર TET-2ની પરીક્ષામાં 2 લાખ કરતા પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પહેલા છેલ્લે વર્ષ 2017-18માં TETની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TETની પરીક્ષા શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.