AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
પદ્મિનીબા વાળાએ સાધુ-સંતના હસ્તે કર્યા પારણા
પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. પદ્મિનીબા વાળા ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ આ વિવાદ બાદ પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ન ત્યાગ પર હતા.
ગત રોજ તેમની અચાનક તબિયત બગડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSમાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે તેમને નબળાઈ આવી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને પારણા કરવા માટે ટેલિફોનિક અને રૂબરૂ સમજાવ્યા હતા. ત્યાર પછી તેમણે સાધુ-સંતના હસ્તે પારણાં કર્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.