
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કરવામ આવી વિશ્વ મધમાખી દિવસની ઉજવણી
૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણીના ભાગ રૂપે દેવ કોલ્ડ સ્ટોરેજ, તા. બાયડ, જી. અરવલ્લી ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં વિવિધ તાલુકાના ૨૫૦ થી વધુ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો.જેમાં ડૉ. જે.આર પટેલ, સંશોધન વૈજ્ઞાનિક તલોદ દ્વારા મધમાખી ઉછેર વિશે વિગતવાર ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા. નાયબ બાગાયત નિયામક ભાવિક એ. કરપટીયા દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. સંયુક્ત બાગાયત નિયામકની કચેરી, મહેસાણા વિભાગમાંથી પરબતભાઈ ચૌધરી તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો બળવંતભાઈ પટેલ તેમજ ગૌરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સેમિનારમાં જિલ્લાના બાગાયત અધિકારી એ.પી.પટેલ, જે.આર.દેસાઈ, એ.વી.ગઢવી, નિધીબેન પટેલ તેમજ મધમાખી સહાયક – ધારા પટેલ દ્વારા સમગ્ર સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.





