પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને મંદિર પ્રશાસન દ્વારા સમયપત્રક જાહેર કરાયુ

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૨૫.૩.૨૦૨૪
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને જાહેરાત કરવામાં આવી છે.ભાવિકોના ધસારાને લઈને મંદિર ખોલવાનો સમય નક્કી કકરવામાં આવ્યો છે.આગામી 30 તારીખથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થાય છે.ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યા મા માઈ ભક્તો ઉમટી પડે છે. ભારતની 51 શક્તિપીઠમાંની એક પાવાગઢ શક્તિપીઠના દર્શનનુ ભાવિકોમાં ખુબ જ મહત્વ છે.પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 30મી માર્ચના લઈ શરુ થનારી ચૈત્રી નવરાત્રીને લઈને ભાવિકોમા ભારે ઉત્સાહનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શ્રી કાલિકા માંતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનો અને દર્શનનો સમય નક્કી કરાયો છે જેમા 30મી માર્ચના રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4.00 અને બંધ થવાનો સમય સાંજે 8.00 કલાકે રહેશે.ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર સવારે 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે.આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. દસમથી ચૌદશ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. પુનમના દિવસે 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે જેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યુ છે. પાવાગઢ ખાતે આસો નવરાત્રી સાથે સાથે ચૈત્રી નવરાત્રીનુ પણ ખુબજ મહત્વ હોય છે. ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી ભાવિકો મહાકાલી માતાજીના દર્શને આવે છે.







