GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લામાં સ્વિપ અંતર્ગત મતદાતા જન જાગૃતિ અભિયાનમાં ગુરુકુલ વિદ્યામંદિર સુપાના તમામ કર્મચારીઓ જોડાયા.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાતા જનજાગૃતિ અભિયાન શરૂ કરી, રાષ્ટ્રહિત માટે મતદાન જરૂરી છે તે પેમ્પલેટ સાથે ગુરૂકુલ આશ્રમના જુદા જુદા લોકોને અને જાહેર માર્ગો પર જતા મતદાતાઓને આ પેમ્પલેટ દ્વારા મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. શાળાના તમામ કર્મચારી એક જગ્યાએ ભેગા થઈ અને મતદાન જનજાગૃતિ અભિયાન માટે પ્રતિજ્ઞા લીધી હતી. પ્રત્યેક શિક્ષક અને કર્મચારી પોતાની સોસાયટી આજુબાજુ મંડળી બેંકોમાં અને જાહેર માર્ગો પર આ પેમ્પલેટ નું વિતરણ કરશે અને લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયત્નશીલ બનશે. લોકશાહીના આ અવસરને ઉજવવા માટે તમામ મતદાતાઓને જાગૃત કરવાના અભિયાનને ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ આવકાર્યું હતું.