JUNAGADHJUNAGADH CITY / TALUKO

વિકાસલક્ષી કામોની ગુણવત્તા જળવાઈ તેની તકેદારી લેવા કલેકટરશ્રીની સૂચના

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા અને વિકાસલક્ષી કામોની ગુણવત્તા જળવાઈ તેની તકેદારી લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા અને અરવિંદ લાડાણીએ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે રોડ -રસ્તા દબાણ, વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર પી. જી. પટેલ, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!