ANJARGUJARATKUTCH

ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ મેળવવા અંજાર મામલતદાર કચેરીએ ૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૬ સપ્ટેમ્બર : આગામી દિવાળીના પર્વ દરમિયાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જે નાગરિકો હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ મામલતદાર કચેરી અંજારમાંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમૂનાનું સોગંદનામું, સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની અરજી કરવાની રહેશે. આ અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૦૧/૧૦/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર અંજાર બી.વી.ચાવડા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!