અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની ગ્રામપંચાયતોમાં ભ્રષ્ટાચાર : એક પંચાયત દ્વારા પાણીના બોર માટે 10 હજાર રૂપિયા લેવાતા હોવાના આક્ષેપો
હાલ જાણે ભ્રષ્ટાચાર ભુસાવાનું નામ ના લેતું હોય અને એક પછી એક શાખાઓમાં ભ્રષ્ટાચાર ચરણસીમા એ પોહ્ચ્યો હોય તેવું લાગી રહ્યું છે એમાં પણ હવે રસ્તા હોય કે પછી પાણી ની સમસ્યા રૂપિયા અને ટકાવારી આપો તો કામ થાય જેવું હવે લાગી રહયું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી પણ કહી ચુક્યા છે કે ચા કરતા જે કીટલીઓ ગરમ થાય છે તે હવે ઠંડા પડી જાય પણ આની અસર જોવા મળતી નથી. ભ્રષ્ટાચારનો વધુ એક જાગતો પુરાવો સામે આવ્યો છે
મેઘરજ તાલુકામાં જાણે કે અધિકારીઓ અજાણ હોય તેવી રીતે પંચાયતમાં કામ કરતા અમુક કર્મચારીઓ પોતાના ખિસ્સા ભરવા હલકી ગુણવતાના કામ થયાં હોવા છતાં કામોના બીલો બનાવી પાસ કરી દેતા હોય છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી પણ શાંત છે બીજી તરફ હવે ગ્રામ પંચાયત દ્વારા પાણીના બોરના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવી વાતો સામે આવી છે જેમાં એક જાગૃત નાગરિકે વાત્સલ્યમ સમાચારના પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી ગામની પંચાયતમાં જે બોર કરવામાં આવે છે એ પંચાયત દ્વારા જે તે વિસ્તારમાં કરવામાં આવતા બોર માટે દસ હજાર રૂપિયા સરપંચ લેતા હોય છે આવા ચાર થી છ જેટલા બોર છે ગરીબ લોકો ક્યાંથી પૈસા આપે એ પણ વાત કરી હતી ત્યારે હવે સરકારના કામો માં પણ સરકાર પૈસા આપે છે છતાં સરપંચો કેમ પૈસા લેતા હોય છે..? એ સવાલ ઉભો થયો છે લોકો પાણી માટે પરબો બંધાવે છે અહીતો પાણી માટે પણ રૂપિયા આપો જેવી વાતો સામે આવતા મેઘરજ તાલુકાનું નામ ભ્રષ્ટાચારમાં આગળ હોય તેવી રીતે એક પછી એક કામમાં ભ્રષ્ટાચાર સામે આવતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે તે જવાબદાર અધિકારી કેમ કોઈ પગલાં નથી લેતા એ પણ નવાઈ ની વાત છે કરો તપાસ ક્યાં કેવી ખીચડી રંધાઈ રહી છે એતો જાણો.માત્ર AC ના ઠંડા પવનો ખાવાથી કઈ નઈ થાય જે તે સ્થળ પર જઈને તપાસ કરો તો કંઈક સામે આવશે ત્યારે હવે પાણીના નામે પણ રૂપિયા લેવાતા હોવાથી જો તપાસ થાય તો બહાર આવી શકે છે બધું