BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

સાયબર ક્રાઇમથી બચવા જાગૃતિ કાર્યક્રમ:પોલીસ અને JCIએ ડાયમંડ થિયેટરમાં સેમિનાર યોજ્યો, લોકોને સતર્કતાની માહિતી અપાઈ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરમાં ભરૂચ પોલીસ અને જેસીઆઈ દ્વારા સાયબર સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. વાળા અને સાઇબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલે ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સાયબર માફિયાઓની છેતરપિંડીથી બચવા માટે લોકોને સતર્ક રહેવાની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં જેસીઆઈ અંકલેશ્વરના વાઇઝ પ્રેસિડેન્ટ અમીત ગીરીયા, ડિરેક્ટર હરેશ પાટકર અને પ્રમુખ નેહા મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર દ્વારા લોકોને સાયબર ક્રાઇમ સામે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!