BANASKANTHALAKHANI

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોની બેઠક યોજાઇ.

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર

લાખણી તાલુકાના લવાણા ગામે પાણી માટે ખેડૂતોનું પ્રદર્શન ભૂગર્ભ જળ ક્યારે આવશે ઊંચા.

વર્તમાન સમય બનાસકાંઠા જિલ્લાના દીયોદર અને લાખણી તાલુકાના ગામોમાં ભૂગર્ભ જળની સમસ્યા ઉભી થઇ છે જેને લઇ ખેડૂતો પરેશાન બન્યા છે જેમાં હવે ભૂગર્ભ જળનો પ્રશ્ન હલ થાય માટે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો પ્રદશન કરી રહ્યા છે

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોની લાખણી તાલુકાના લવાણા ગામે એક અગત્ય ની બેઠક યોજાઇ હતી જેમાં દીયોદર અને લાખણી બને તાલુકામાં ભૂગર્ભ જળનો પ્રશ્ન બાબતે ખેડૂતોએ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં આગામી સમય ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે જલદીમાં જલદી પાણીના પ્રશ્નનું નિવારણ આવે તેવી ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી હતી

ખેડૂત આગેવાન અમરાભાઇ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હતા જેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે એક કપરો સમય શરૂ થયો છે એક બાજુ પાણીના તળ એક દમ નીચે જઇ રહ્યા છે ખેડૂતોને પાણી નહિ મળે તો ખેડૂતોએ હિજરત કરવાનો વારો આવશે

બીજી તરફ હાલ ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો એક મંચ પર આવી આ પ્રશ્ન નું નિવારણ આવે તે જરૂરી છે નહિતર આગામી સમય ખેડૂતો ને હિજરત કરવાનો વારો આવશે જેથી સરકાર તાત્કાલિક ધોરણે ભૂગર્ભ જળ માટે કઈ વિચારે તે જરૂરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!