JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ગણેશનગર વિસ્તારમાં મિલકત મુદ્દે દંપતિ પર હુમલો

પૂન:લગ્ન કરનાર મહિલાના પૂર્વ સાસરિયાઓ દિકરીની મિલ્કત પચાવવા બન્યા વેરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ગણેશ નગર વિસ્તારમાં આજે સવારના સુમારે મિલકત મુદ્દે દંપતિ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો હુમલાના પગલે ઘાયલ દંપતિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાવુ પડ્યું હતું ઘટનાના પગલે સમગ્ર ગણેશનગર વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામી હતી
બનાવની સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પુનઃ લગ્ન કરી રાજકોટ ખાતે રહેતા જલ્પાબેન અરવિંદભાઈ સોનારા ઉ.વ.37, રહે હાલ રાજકોટ વાળાએ અગાઉ અશ્વિનભાઈ અરજણભાઈ પરડવા સાથે લગ્ન કરેલા હતા પતિનું અકાળે મૃત્યુ થતાં પરિવારની સમજૂતીથી અરવિંદભાઈ સોનારા સાથે બીજા લગ્ન કરી સુખી જીવન જીવતા હતા જ્યારે અગાઉના લગ્ન સંતાન પોતાની દીકરી ઉ.વ.13. વાળી માટે પોતાની ગણેશ નગર ખાતે વડીલો પાર્જીત મિલકત હોય જેને ભાડે આપી અને સાર સંભાળ રાખતા હોય ભાડુઆત પાસે મકાન ખાલી કરાવવા માટે આજે જૂનાગઢ ખાતે આવતા આ મિલકત પર પહેલેથી જ ખરાબ દાનત રાખી મહેન્દ્ર અરજણભાઈ પરડવા,અશોક અરજણભાઈ પરડવા, હિતેશ વલ્લભભાઈ અને લાલુ અશોકભાઇ પરડવા, એ પિચકારો હુમલો કરી મહિલા જલ્પાબેન ને હાથમાં તેમજ તેમના પતિ અરવિંદભાઈ ને પડખામાં છરી વળે ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવું પડ્યું હતું જ્યાંથી પોલીસે તેમની ફરિયાદ લઈ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!