
તા.૦૪.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા નઢેલાવ વજેલાવ જાંબુવા ઝરી ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ૩૬ જાંબુવા ૨૯ ઝરીબુઝર્ગ ૨૬ નઢેલાવ ૩૦ વજેલાવ ૩૩ આમ કુલ:૧૫૪ દર્દીઓને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત આજ રોજ ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા જાંબુવા ઝરીબુઝર્ગ નઢેલાવ વજેલાવ ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્રબની ને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે.પોષણ કીટ વિતરણમાં શું-શું આપવામાં આવે છે ચોખા, તુવર દાળ,તેલ, ઘઉં નો લોટ , પ્રોટીન પાવડર,મગ, મગની દાળ , ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ONGC ના HR મેનેજર અરુણ પ્રભાત, કંપની ના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર પાંચવાડા ના ડૉ બક્ષિસ ડામોર જાંબુવા ના ડૉ રૂમિકા પંચાલ ઝરીબુઝર્ગ ના ડૉ પ્રદીપ નિનામા નઢેલાવ ના ડૉ સાગર પરમાર વજેલાવ ડૉ ચંદ્રકલા પરમાર તાલુકા ટીબી સુપરવાઈઝર ભાવેશ નિનામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર આશા બહેન તથા વ્હાલા ટીબી ના દર્દીઓ હાજર રહ્યા હતા આમ પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય




