બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકાની અદાલતોમાં તા. ૦૮/૦૩/૨૦૨૫ના રોજ સને-૨૦૨૫ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન
2 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, નવી દિલ્હી તથા નામ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા પાલનપુર હેડ ક્વાર્ટરની તમામ અદાલતો તેમજ બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકાની અદાલતોમાં તા. ૦૮/૦૩/૨૦૨૫ના રોજ સને-૨૦૨૫ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા ચેક રિટર્ન ના કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા કેસો, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા તથા દીવાની તકરાર ને લગતા દાવા સમાધાન માટે મૂકી શકાય છે. જેથી જે કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાનપાત્ર કેસો લોક અદાલતમાં સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફત તેમના કેસોની વિગત સહિત હેડ ક્લાર્ક, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલ ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર, ટેલિફોન નંબર : ૦૨૭૪૨ ૨૬૧૪૯૫ ના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાની અદાલતોના કેસો માટે જે તે તાલુકા કાનૂની સેવા સમિતિની કચેરીનો સંપર્ક કરવો.
પી. પી. શાહ
સચિવ,
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,
પાલનપુર, જિ. બનાસકાંઠા