લાખણી કોર્ટ ખાતે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર નુ ઉદ્ઘાટન કરાયુ

નારણ ગોહિલ લાખણી 

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા વિસ્તારમાં મા આવેલ કોર્ટ મા આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર નુ શુભ ઉદ્ઘાટન કરવા મા આવ્યું તાત્કાલિક આરોગ્ય સહાય મળી રહે તે હેતુથી આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર નુ ઉદ્ઘાટન માનનીય district જજ એ જે કાનાણી સાહેબ ના વરદહસ્તે કરવા મા આવ્યું
કોર્ટ મા આવતાં અરજદારો પક્ષકારો
વકીલશ્રીઓ. સ્ટાફ મિત્રો તેમજ અન્ય કોઈ આકસ્મિક બીમારી ના સંજોગો ઉભા થાય એવી પરિસ્થિતિ મા આ સેવા નુ કેન્દ્ર આશીર્વાદ રૂપ સાબિત થશે
આ પ્રસંગે માનનીય જ્જ સાહેબ એચ જે ઠક્કર સાહેબ તેમજ એ એચ ત્રિવેદી પાલનપુર લાખણી કોર્ટ જયુડીશીયલ જજ જે ડી ત્રિવેદી સાહેબ તથા લાખણી બાર એસોસિયેશન પ્રમુખશ્રી પરથીભાઈ જે ડાભી સાહેબ તથા સરકારી વકીલ વી એ જોષી તથા લાખણી બાર એસોસિયન ના તમાંમ વકીલો સ્ટાફ મિત્રો પોલીસ કર્મચારીઓ તેમજ આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી શુભ ઉદ્ઘાટન મા શુભેચ્છાઓ પાઠવી હતી



