21 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન .પી. પટેલ આર્ટસ કૉલેજમાં એન. એસ. એસ અંતર્ગત તારીખ 16 જૂનથી 20 જૂન સુધી યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં તારીખ 16 થી 21 જૂન એન .એસ. એસ ના સ્વયંસેવકો તથા સ્ટાફ મિત્રોએ ઓનલાઇન માધ્યમથી યોગાસનનો અભ્યાસ કર્યો હતો અને 21 જૂનના દિવસે કોલેજમાં હાજર રહીને વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કર્યા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવના પ્રોટોકોલ મુજના આસનો પ્રાણાયામનો અભ્યાસ કયૉ હતો. 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી પ્રસંગે સમગ્ર સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક સ્પોર્ટ્સ કન્વીનર ડૉ.દીપ્તિબેન ભાખરીયા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. આકૃતિ પંચાલે કર્યું હતું.