BANASKANTHA

વડગામ ખાતે મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

26 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ ખાતે મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.તાલુકા મથક વડગામ ખાતે આવેલ શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે બુધવારે પરંપરા મુજબ મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રણછોડજી મંદિર ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી આર.વી. પટેલ, ટ્રસ્ટી કાળુજી ડી.સોલંકી ની
પ્રેરક ઉપસ્થિતિમાં તમામ ટ્રસ્ટીઓ , ગ્રામજનો દ્વારા વહેલી સવારથી શિવાલય ખાતે અભિષેક,પુજા અર્ચના અને સાંજે ભગવાન શિવજીની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!