સૂઇગામ તાલુકાના ચાળા ગામે શ્રી ચામુંડા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
સંતવાણી ભજન, હવન, રથયાત્રા, સહિત ના કાર્યકમો યોજાયા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ રહ્યા
ચૈત્ર મહિનાની સાથે ભક્તો હવન રમેલ ધાર્મિક પ્રસંગો યોજાતા હોય છે જેમાં સૂઇગામ તાલુકાના ચાળા ગામે સમસ્ત ઘણાનીયા પબાબા પરિવાર અને રામજીબા પરિવાર તેમજ ચાળા , મમાણા, ધનાણા ,ગામ દ્વારા શ્રી ચામુંડા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં રવિવાર ના રોજ રાત્રે સંતવાણી ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારો
(સાહિત્યકાર) મોરલી બારોટ (ભજનીક) નારણ બારોટ ( છોટે હેમત) વિજય પરમાર સુરશ ગોહિલ (લોકગાયિકા) કૈલાશ વણકર સોનુ ગોહિલ, અને શેણલ સાઉન્ડ જેતડાના સથવારે સંતવાણી ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી તેમજ સોમવાર ના રોજ સવારે ભવ્ય ફુલેકુ-રથયાત્રા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી જેમાં ચામુંડા માતાજી મૂર્તિ નો ચડાવો નરેશભાઈ હાંજા ભાઈ બારોટ લાવો લીધો હતો,
ધજા નો ચડાવો ગીરીશભાઈ પ્રભુભાઈ બારોટ લાવો લીધો હતો અને ચામુંડા માતાજીની આરતી ચડાવો સમસ્ત ધનાણીયા(બારોટ) પરિવાર લાવો લીધો હતો, જેમાં કુલગુરુ:- પીર નથુરામ પૂનમારામ , ચારડા અને શાસ્ત્રી:- માવજીભાઈ પંડ્યા (ઢીમા) અને ભુવાજી:- દેસાઈ લાખાભાઇ મેવાભાઈ (સિકોતર ધામ ચાળા) દેસાઈ રણછોડભાઈ સગથાભાઈ દેસાઈ માનસંગ ભાઈ ખોડાભાઇ તેમજ મોટી સંખ્યામાં સમાજ ના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા અને ગ્રામજનો અને ધનાણીયા પરિવાર દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો, ધનાણીયા પરિવાર દ્વારા સમગ્ર ગ્રામજનો બારોટ સમાજ નો આભાર વ્યક્ત કર્યો હતો,અને, માતાજીના ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો ,
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર