KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નવાપુરા ખાતે છેલ્લા વીસ દિવસથી વીજ પોલ ઉપર લટકતી વાનર ની લાશ જીઇબી નિષ્ક્રિય.

તારીખ ૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નવાપુરા વિસ્તાર રોડ ઉપર એક વીજ થાંભલા પર છેલ્લા વીસ દિવસથી એક વાનર વીજ થાંભલા પર કરંટ લાગવા થી આ વાંદરાનું મૃત્યુ નીપજ્યું હતું સ્થાનિક નાગરિક દ્વારા કાલોલ ની જીઇબી ની ઓફિસમાં લેખિતમાં કમ્પ્લેન પણ નોંધાવી છે કમ્પ્લેન ને વીસ દિવસ થયા છતાં આ વાનર ની લાશ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યું નથી તંત્ર દ્વારા આ મંગળવારે આવીશું, પેલા મંગળવારે આવીશું તેમ જણાવાય છે અને એવું પણ કહે છે કે આ વીજ પોલ ઉપર હેવી લાઇન જતી હોવાથી ઓફિસે જાણ કરી ઉતારી લઈશું અપને પણ ઘણા દિવસ થવા આવ્યા છતાં પણ આ વાનરને વીજ પોલ ઉપરથી હજુ ઉતારવામાં આવ્યું નથી તો સ્થાનિકોમાં આ બાબતે ઉગ્ર રોષ છે હિન્દુ ધર્મમાં વાનર ને હનુમાનજીનું રૂપ ગણવામાં આવે છે જેથી હિંદુ સમાજની લાગણી દુભાઈ છે. આ વાનરને જો વીજ તંત્ર દ્વારા વહેલી તકે ઉતારી લેવામા આવે અંતીમ ક્રિયા કરવામા આવે તો વાનર ને મોક્ષ મળે તેવુ સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!