GUJARATJETPURRAJKOT

Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’અંતર્ગત રાજકોટ તાલુકાના ગુંદામા લોકકલ્યાણકારી યોજનાઓના લાભો વિતરિત કરાયા

તા.૧૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સિકલસેલ એનીમિયા અને ટી. બી.સ્ક્રીનીગ કરાયું

Rajkot: રાજકોટ તાલુકાના ગુંદા ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ ગુંદા આવી પહોંચતા લોકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું સાથે વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, પી.એમ.ઉજજવલા તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં સામાન્ય આરોગ્ય તપાસ સાથે જ સિકલ સેલ એનિમિયા તેમજ ટી.બી.સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની ઉજજવલા, આયુષ્માન ભારત અને ગંગા સ્વરૂપા યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓ શ્રી કાન્તાબેન રૈયાણી,લતાબેન અગ્રાવત તથા મુકતાબેન રૈયાણીએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન તેમજ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ માટે પ્રદર્શન તથા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો.

મહત્વનું છે કે, આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રી અમરશીભાઈ મેવાસીયા, પુર્વ સરપંચ ગુંદા શ્રી સુરેશભાઈ રૈયાણી, વહીવટદાર શ્રી રાજુબેન ચાવડા, તલાટી કમ મંત્રીશ્રી નારણભાઈ રાતડીયા, સી.એચ.ઓશ્રી વિશાલભાઈ પરમાર તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!