ANANDANAND CITY / TALUKO

૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે ૪ ઉમેદવારો દ્વારા ૫ ઉમેદવારી પત્રો રજૂ કરાયા

૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે ૪ ઉમેદવારો દ્વારા ૫ ઉમેદવારી પત્રો રજૂ કરાયા

૧૬- આણંદ સંસદીય મતવિસ્તાર માટે આજે ૪ ઉમેદવારો દ્વારા ૮ ઉમેદવારી પત્ર રજૂ કરાયા

તાહિર મેમણ : આણંદ – 18/04/2024- આણંદલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે.

જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દ્વારા આણંદ લોકસભા બેઠક માટે તથા ચૂંટણી અધિકારી, ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ ખંભાત દ્વારા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.

જે અન્વયે ઉમેદવારી પત્રો ભરવાના આજના દિવસે એટલે કે તા.૧૮-૦૪-૨૦૨૪ના ગુરૂવારના રોજ ૧૬-આણંદ સંસદીય મતદાર વિભાગ માટે ૪ ઉમેદવારો દ્વારા ૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા.આમ, અત્યાર સુધી ૧૬ –આણંદ સંસદિય મતવિસ્તારમાં કુલ ૬ ઉમેદવારોએ કુલ ૧૨ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટેની બેઠક માટે આજે તા. ૧૮-૦૪-૨૦૨૪ના રોજ ૪ ઉમેદવારો દ્વારા ૫ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

નોંધનીય છે કે, તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ તારીખ ૨૦ -એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૨- એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!