BHARUCHJHAGADIYA

ઝઘડિયા જીઆઇડીસીની મેટ્રોપોલીટીન એક્ઝિમકેમ કંપની ની ઘટનામાં અત્યાર સુધી પાંચ કામદારોના મૃત્યુ થયા છે 

ઝઘડિયા જીઆઇડીસીની મેટ્રોપોલીટીન એક્ઝિમકેમ કંપની ની ઘટનામાં અત્યાર સુધી પાંચ કામદારોના મૃત્યુ થયા છે

આજ રોજ વધુ એક કંપની માં કામ કરતા રોનક પટેલ નું પણ મોત થયુ

 

રાકેશ વસાવા, હરિ પ્રકાશ મોતીલાલ વર્મા,

પ્રવિણસિંગ અશોકસિંગ અને

હાર્દિક કુમાર પરમાર,રોનક પટેલ નામના કામદારો મૃત્યુ પામ્યા છે

 

ઝઘડિયા જીઆઇડીસી ની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં ગત તા.૨૩.૪.૨૬ ના રોજ મોટા બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી તેમાં દિવસે દિવસે મૃત્યુ આંક વધતો જાય છે, પ્લાન્ટમાં જ્યારે આગ લાગી ત્યારે ૧૬ જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા જેમને અંકલેશ્વર વડોદરા અને સુરતની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સારવાર હેઠળના દર્દીઓ પૈકી પ્રથમ રાકેશ વસાવા ત્યારબાદ હરિ પ્રકાશ મોતીલાલ વર્મા ત્યારબાદ પ્રવિણસિંગ અશોકસિંગ અને હાર્દિકકુમાર પરમાર અને આજ રોજ રોનક પટેલ નામના કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોપોલીટીન એક્ઝીકેમ કંપનીમાં જે ઘટના બની હતી તે ધટનાને જીપીસીપીએ પણ ખૂબ ગંભીર રીતે લીધી છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પંચ દ્વારા પણ આ ધટનાની સ્વતઃ નોંધ લઇ બે અઠવાડિયામાં તેનો રિપોર્ટ ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક પાસે માંગ્યો હતો

Back to top button
error: Content is protected !!