GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં વિઘ્નહર્તાને ભક્તોની ભારે હૈયે વિદાય,1100 ઉપરાંત પ્રતિમાઓનું વિસર્જન કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૯.૨૦૨૪

હાલોલ નગર સહિત તાલુકામાં છેલ્લા દસ દિવસથી આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી ની આજે મંગળવાર ના રોજ ભાવભરી વિદાય આપવામા આવી હતી.૩૦૦, ઉપરાંત પોલીસકર્મીઓ ની અભેદ સુરક્ષા કવચ વચ્ચે ગણેશ ભક્તો દ્વવારા ભક્તિસભર વાતાવરણમાં અશ્રુભીની આંખોએ ઢોલ, નગારા, વાજાબેન્ડ તથા ડી.જેની તાલે હજારોની જનમેદની સાથે વિદાય આપવામા આવી હતી. સાથે સાથે આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરવામાં આવી. શ્રીજી વિશર્જન વહેલી સવાર થી શરુ થયેલ મોડી રાત્રી એ શાંતિ પૂર્ણ માહોલ માં સંપ્પન થયું હતું.હાલોલ નગરમાં ઘેર ઘેર તેમજ ફળીયા, સોસાયટી, ખાતે નાના કદના તેમજ મોટા કદની ૧૧૦૦ ઉપરાંત શ્રીગણેશજી ની પ્રતિમાની ગણેશ ભકતો દ્વારા ગણેશ પંડાલ માં રંગ બેરંગી રોશનીથી સજાવી સ્થાપના કરી ૧૦ દિવસ સુધી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા. આજે દસમા દિવસે શ્રીજી ને વિદાય આપતી સમયે ગણેશ ભક્તોની આંખોમાં આંસુ સરી પડ્યા હતા. અને શ્રી ગણેશજી ને આવતા વર્ષે જલદી પધારવા વિનંતી કરવામાં આવી હતી.શ્રીજી ની વિસર્જન યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં થી વહેલી સવારથી જ નીકળી હતી.જેમાં મોટા મંડળો દ્વારા મોટી પ્રતિમાને લઇ હાલોલ નગરનાં બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે એકત્રિત થઈ ગયા હતાં. ત્યાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર એ શ્રીજીની પૂજા આરતી કરી વિસર્જન યાત્રાને આગળ ધપાવી હતી.જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ શ્રીજીની શોભાયાત્રા વધતી જતી જોવા મળી હતી.ત્રણ કિલોમીટર જેટલી લાંબી વિસર્જન યાત્રા ને માણવા માટે નગરના રાજ માર્ગો પર ગણેશ ભકતો મોટી સંખ્યામાં ઉમટી હતી.અને શ્રીજીની વિદાય યાત્રાના દર્શન કરી ધન્ય બન્યા હતા. અને યાત્રામાં જોડાયા હતા.જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા પાવાગઢ રોડ ખાતે વિસર્જન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીજી વિર્સજન માં કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ૪ ફૂટ સુધી ના નાના કદ ની મૂર્તિ ને પાવાગઢ રોડ સ્થિત સિંધવાવ તળાવ ખાતે તથા ૪ ફૂટ થી મોટા કદના શ્રીજીની પ્રતિમાને હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે વિર્સજન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને તળાવ ખાતે ૫ બોટ, ૩૦ તરવૈયા ની ટીમ, ૩ મોટા હાઈડ્રા એક મોટી ક્રેન એમ્બ્યુલન્સ પાણીની ટેન્કર ફાયર ફાઈટર ની ટીમ તેમજ એમ્બ્યુલન્સ સાથે હાલોલ નગરપાલિકાના ૧૫૦ કર્મચારીઓ ખડે પગે ફરજ નિભાવી હતી.જ્યારે શ્રીજી વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે વિસર્જન યાત્રિકો પર બાજ નજર રાખવા પોલિસ દ્વવારા સંવેદનશીલ વિસ્તાર સહીત જુદી જુદી જગ્યાએ પોઇન્ટ ઉભા કરી ડી.વાઈ.એસ.પી,પી.આઈ, પી.એસ.આઈ, એએસઆઈ તથા કોન્સ્ટેબલ, એસ.આર.પી.જવાન ટીમ , હોમગાર્ડ, ટીઆરબી તેમજ ત્રણ ડ્રોન ત્રણ વિડિયો ગ્રાફિ અને કેમેરાથી સજ્જ બની ખાડે પગે ફરજ બજાવી હતી.શ્રીજી ની વિશર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલ માં સંપ્પન થતા વહીવટી તંત્ર ને હાશકારો અનુભવ્યો હતો.

Back to top button
error: Content is protected !!